TOP$24NEW$

Breaking
Loading...
Menu

Latest Posts

Thursday, May 20, 2021

In which cities of Gujarat did the protest against the partial lockdown arise, what did the traders say?

In which cities of Gujarat did the protest against the partial lockdown arise, what did the traders say?

Traders are now demanding a partial lockdown. As well as protesting against a partial lockdown. Surat: As the period of partial lockdown is coming to an end in 36 cities in Gujarat, including the metros, the Gujarat Chapter of the Indian Medical Association has demanded that the partial lockdown be extended till May 31. Traders, on the other hand, are now demanding a partial lockdown. As well as protesting against a partial lockdown. There have also been hints from traders about the lockdown. 
In Kutch, small and big traders are in trouble due to partial and mini lockdown. Businesses in Bhuj and Gandhidham are having trouble getting home from business for 25 days due to partial and mini lockdown. If the government decides not to open the shop from tomorrow, traders will protest. 

The decision has been taken by the Bhuj and Gandhidham Traders Association. The Godhra Traders Association has threatened to open shops from tomorrow. If the general lockdown is announced again, all the traders will open their shops tomorrow and oppose the lockdown. The voluntary lockdown was opposed by the Godhra Traders Association. Quantities including textiles, mobiles, utensils, spare parts, electronics as well as retailers protested the lockdown. The association alleges that the lockdown has had a major impact on business employment in urban areas. Due to the lockdown, the condition of all small and big traders in the urban area has become dire. The president of the Chamber of Commerce has accused the government of breaking the chain of trade instead of breaking the chain of corona. Hosiery traders in Surat have approached the collector to open their own shops. Small traders are said to be in financial trouble. Prayed that it was becoming difficult to run the house. If the business employment continues, the workers' house will also run. Demanded to open shops as soon as possible. The condition of the hotel restaurant in Surat has become dire in a partial lockdown. Before Korona, South Gujarat had a business of 100 crore per month which has now reached 5 crore. Corona previously had 60% of the business in the hotel restaurant now has gone from 0 to 5%. Previously the hotel had a 20% profit on 80% of the cost. The restaurant used to make a profit of 10 to 15%. Currently, the business is closed. Hotel owners pay property rent ranging from Rs 1 lakh to Rs 5 lakh, at present there is no compensation. 20% of the estimated earnings is spent on staff. At present staff and workers are home.

Demand from the government for the hotel restaurant business - Waiver in property tax - Start 24 hour parcel service - Water tax exemption - Exemption of electricity duty in electricity - Give gas at domestic price - Pardon in the contribution of PF and ESI - Pay Rs 5 lakh compensation if employees die during covid - Police and municipal officials stop Raj ..

Saturday, May 8, 2021

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં વાતાવરણને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં બે દિવસ આકરો ઉનાળો રહેશે. અને બે દિવસ બાદ કમોસમી વરસાદ પડશે. હળવા વાવાઝોડા સાથે માવઠાની પણ આગાહી કરાઇ છે. રાજ્યમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર રહેશે. ડાંગ, તાપી, જૂનાગઢ અને અમરેલી સહિતમાં કમોસમી વરસાદ પડશે.


અમદાવાદમાં આંશિક લોકડાઉન અને ગરમીની અસર જોવા મળી. બજારો બંધ રહેતા ટ્રાન્સપોર્ટેશન પણ અટક્યું છે. ત્યારે અમદાવાદમાં 24 કલાક ધમધમતા રસ્તાઓ ક્યાંક સૂમસામ જોવા મળ્યા હતા. તો ક્યાંક રસ્તા પર ટ્રાફિકમાં ઘટાડો જોવા મળ્યો હતો.


તો બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક પંથકમાં ભરઉનાળે છેલ્લા એક સપ્તાહમાં વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે કેરીના પાકને મોટી નુકસાનીની ભીતિ છે. ઉનાળામાં કેરીની આવકના આધારે અનેક ખેડૂતોનું આખું વર્ષ ચાલતું હોય છે. અને આ સમયમાં જ કમોસમી વરસાદના કારણે પાકની નુકસાની ખેડૂતોને માર પાડે છે.


હવામાન વિભાગની આગાહીની ગણતરીની કલાકોમાં ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. કોઠ ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. જો કે કમોસમી વરસાદ થતાં ઉનાળું પાકમાં નુકસાન થયું છે.


Saturday, March 28, 2020

કનીકા કપુર નો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો પરંતુ શું છે રાહતના સમાચાર તે પણ જોઈ લો

કનીકા કપુર નો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો પરંતુ શું છે રાહતના સમાચાર તે પણ જોઈ લો

ખૂબ જ જાણીતી અને લોકપ્રિય સિંગર એવી કનીકા કપુર ને પણ કોરોના નામનો અજગર ડસી ચુક્યો  છે .

➡ કનીકા કપુર જ્યારે ટેસ્ટ કરવામાં આવે ત્યારે તે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
                   વિડીયો જૂઓ..👇👇

➡જણાવ્યા મુજબ ૯ માર્ચ ના રોજ કનીકા કપુર લન્ડન થી ભારત પરત આવી હતી.જ્યારે તેનો ટેસ્ટ કરાવવામાં આવ્યો ત્યારે તે કારોના પોઝિટિવ નીકળ્યો .આ  વાત તે છુપાવી રહી હતી .પરત આવ્યા બાદ તેણે ભારતમાં ઘણી પાર્ટીઓ કરી અને ઘણા લોકોને આ રોગ પણ ફેલાવ્યો..

➡કનિકા કપૂરના કારોના પોઝિટિવ છે તે જાણીને તેના ફેન્સને ઘણું દુઃખ પહોંચ્યું છે ..

➡ સારી વાત કરવામાં આવે તો કનીકા કપુર અને તેની સાથે રહેલા દર્દીઓની સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.



Thursday, February 6, 2020

દિલ્હી વિધાનસભાની ચૂંટણી: પ્રચાર પડઘમ શાંત, 8 ફેબ્રુઆરીએ થશે મતદાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણી: પ્રચાર પડઘમ શાંત, 8 ફેબ્રુઆરીએ થશે મતદાન


દિલ્હી વિધાનસભા ચૂંટણીના આજે પ્રચાર પડઘમ શાંત થયા છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓએ પૂરી તાકાત લગાવી દીધી હતી.



Delhi election campaigning will be closed today

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના આજે પ્રચાર પડઘમ શાંત થયા છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓએ પૂરી તાકાત લગાવી દીધી હતી. દિલ્હીના રસ્તાઓ પર રોડ શો, જનસભા, ભાષણના માધ્યમથી નેતાઓ પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ,લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાન, સની દેઓલ અને મનોજ તિવારી સહિતના નેતાઓ ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત તમામ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. કૉંગ્રેસના કોઈ મોટા નેતા અંતિમ દિવસના ચૂંટણી પ્રચારમાં જોવા નહોતા મળ્યા.
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ નિયમો અનુસાર હવે નેતાઓ ચૂંટણી સુધી કોઈપણ પ્રકારની રેલી, જનસભા અથવા સાર્વજનિક મંચ પરથી ભાષણ નહી કરી શકે. નેતાઓ ઘરે-ઘરે જઈને લોકોને મતદાનની અપીલ કરી શકે છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીના મતદાન યોજાશે. જેને લઈને 2689 સ્થળો પર 13750 મતદાન કેંદ્ર બનાવવામાં આવ્યા છે. ચૂંટણી કરાવવા માટે ચૂંટણીપંચ આશરે 70 કરોડનો ખર્ચ કરશે. 8 ફેબ્રુઆરીના સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. 11 ફેબ્રુઆરીના પરિણામ જાહેર થશે.


Saturday, January 25, 2020

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ


સેનાના ત્રણ આતંકવાદીને ઘેર્યા.
 જમ્મુકશ્મીરના પુલવામા વિસ્તારમાં સિક્યોરિટી દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ રહી હોવાની જાણકારી મળી હતી.




સિક્યોરિટી દળોએ ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીને ઘેરી લીધા હોવાનું પ્રવક્તાએ કહ્યું હતુ. આ લખાઇ રહ્યું હતું ત્યારે સામસામા ગોળીબાર ચાલુ હતા. આ અથડામણ ત્રાલ વિસ્તારમાં થઇ રહી હતી.




ગુપ્તચર દળોને એવી માહિતી મળી હતી કે હરિગામમાં આતંકવાદીઓ છૂપાયા છે. સિક્યોરિટી દળોએ તરત હરિગામને ઘેરી લીધું હતું અને આતંકવાદીઓને શરણે થવાની ચેતવણી આપી હતી.





જવાબમાં આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યા હતા. સિક્યોરિટી દળોએ એનો જવાબ આપવા વળતા ગોળીબાર શરૂ કર્યા હતા. આમ સામસામે ગોળીબાર ચાલુ થયા હતા. સ્થાનિક લોકો ડરીને પોતપોતાના ઘરોમાં બેસી રહ્યા હતા.





અત્યાર અગાઉ શુક્રવારે સાંજે આતંકવાદીઓએ શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં નૂરબાગના એક પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ ફેંકતાં બે જવાનો સહિત ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી. ત્યારબાદ સિક્યોરિટી દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો.








Thursday, January 16, 2020

ગુજરાતનાં વીજ ગ્રાહકોને રૂપાણી સરકારે આપી રાહત, ઉર્જા મંત્રી સૌરભ પટેલે કરી આ જાહેરાત

ગુજરાતનાં વીજ ગ્રાહકોને રૂપાણી સરકારે આપી રાહત, ઉર્જા મંત્રી સૌરભ પટેલે કરી આ જાહેરાત



ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વીજ વપરાશ કરતા ગ્રાહકોને વીજ ભારણનો બોજો ભાવ વધારાના સ્વરૂપે વીજ ગ્રાહકો ઉપર ન પડે તે માટે ગ્રાહકોના હિતમાં ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવ વધારો નહીં માંગવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે.


ઊર્જામંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ કરવામાં આવશે. વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ થવાથી વીજ વિતરણ દરમિયાન થતા ‘વીજ વિતરણ લોસ’માં ઘટાડો થશે, વીજ ખરીદીમાં ઘટાડો તથા વીજ વિતરણ કંપનીઓની કાર્યશક્તિમાં વધારો થશે અને વીજ ભારણ સરભર કરી શકાશે.


૨૦૨૦-૨૧ માટે કુલ વસુલાત પાત્ર રાજસ્વની ૨કમ રૂા. ૫૨,૩૮૯ કરોડ થાય છે, જેની સામે હયાત વીજ દર અને મંજૂર કરેલ વીજ વેચાણ (૮૭,૮૨૪ મિલિયન યુનિટ્સ) મુજબ વીજ ગ્રાહક પાસેથી થનાર અંદાજીત આવક રૂા. ૫૧,૫૦૭ કરોડ થાય છે.


વર્ષ ૨૦૨૦-૨૧ માટે હયાત વીજ દર મુજબ ખાધની કુલ રકમ રૂા. ૮૮૨ કરોડ થાય છે.MYT રેગ્યુલેશન મુજબ આ ખાધની ૨કમ ગ્રાહકના વીજ દ૨માં વધારા રૂપે વસુલ કરવાની થાય છે. આ રૂા. ૮૮૨ કરોડની ખાધનું ભારણ જો તમામ કક્ષાના વીજ ગ્રાહકના દરમાં સમાન રીતે વધારો સૂચવવામાં આવે તો આશરે રૂા. ૦.૧૦ પ્રતિ યુનિટ થાય છે. જયારે આ ભારણ જો ખેત વિષયકે ગ્રાહકો સિવાયના અન્ય તમામ ગ્રાહકો પર લાદવામાં આવે તો આશરે રૂા. ૦.૧૩ પ્રતિ યુનિટ થાય છે.

સામાન્ય ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખતા અને વીજ દરના વધારાના ભારણથી મુક્ત રાખવાના આશયથી વીજ વિતરણ કંપનીઓએ વર્ષ ૨૦૧૮-૧૯ના ટ્રુ-અપ અને વર્ષ ૨૦૨૦-૨૧ના વીજ દર નક્કી કરવા માટે વીજ નિયમન આયોગ સમક્ષ દાખલ કરેલ પીટીશન અંતર્ગત વીજ દરમાં કોઈ વધારો માગ્યો નથી. આ રૂ. ૮૮૨ કરોડનું ભારણ વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતામાં સુધારો જેમ કે વીજ વિતરણ લોસમાં ઘટાડો તથા વીજ ખરીદીમાં ઘટાડો જેવા પગલાથી સરભર કરવામાં આવશે.